top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Parents Orientation Program- 2023-24


મા, માતૃભૂમિ અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે, તેટલું મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે.

જ્યોર્જ લિયોન્ડઁ નો વિચાર છે કે “જે સ્વયં ને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે” (Education is doing anything that changes you) અર્થાત બાળકો સાથે સંકળાયેલા સૌ પોતાના સારા કામ થકી તેના વ્યક્તિત્વને નિખારી શકે છે એ દૃષ્ટિએ વાલી શિક્ષકો વચ્ચેનો સંબંધ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં મહત્વનો સંબંધ છે.

શિક્ષણ ત્રણ અક્ષર નો શબ્દ છે. પરંતુ એક લાંબી અને આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનમાં વિકાસનો ભાગ ભજવે છે. તેથી જ દરેક માતા-પિતા ઈચ્છે છે કે એમનું બાળક ભણે-ગણે સારી કેળવણી મેળવે. મોટું થતા યોગ્ય વ્યવસાય કરી સમૃદ્ધ અને સંતુષ્ટ જીવન જીવે. બાળપણ એ આપણા જીવનનો સૌથી મોટો હિસ્સો છે.

શિક્ષણ અને વાલી વચ્ચેનો સૌથી પહેલો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે. જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિકાસનો પાયો નાખે છે અને તેથી જ નવા સત્રની શરૂઆતમાં અમારા ગજેરા બાલભવનમાં શિક્ષક-વાલી વચ્ચે પરિચય મિટિંગ અને Orientation Programme નું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલી મીટીંગ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ અમારા આચાર્યશ્રી એ વાલીશ્રી ને નવા સત્રની યોગ્ય રૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શાળાના અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી આપી. ત્યારબાદ અમારા ઉપાચાર્ય દ્વારા GEMS APP વિશે માહિતી આપવામાં આવી તેમજ શાળાના નીતિ-નિયમો વિશે સમજૂતી આપવામાં આવી હતી.

આ વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના આવનારા વર્ષના અભ્યાસલક્ષી કાર્ય માટે ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા તેમજ શાળાના શિક્ષણિક કાર્યથી પ્રભાવિત થયા હતા.


272 views0 comments
bottom of page