gajeravidyabhavanguj
વેલેન્ટાઈન ડે - માતૃ-પિતૃ વંદના દિવસ

"યે તો સચ હે કે ભગવાન હૈ, હે મગર ફિર ભી અંજાન હૈ,
ધરતી પે રુપ મા બાપ કા, ઉસ વિધાતા કી પહેચાન હૈ"
આપણા ધર્મ શાસ્ત્રોમાં માતા-પિતાની સેવાનું મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવામાં આવે છે. જગતમાં બધું મળી શકે છે પણ માતા-પિતા અને તેનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે એનામાં સંસ્કારોનો સિંચન કરે છે.
"માતા-પિતાના ચરણોમાં જ સાચું સુખ રહેલું છે."
પશ્ચિમની સંસ્કૃતિ તરફ દોટ મૂકી રહેલી દેશની ભાવી પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ નહીં થાય તે માટે બાહ્યવસ્થાથી ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ૧૪મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે ના દિવસને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવ્યો.
માતા-પિતાનું આ ઋણ ક્યારેય અદા કરી શકાતું નથી બાળકો ભારતીય સંસ્કૃતિ થી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ પોતાના માતા-પિતાની પૂજા કરી તેમને સન્માનિત કર્યા હતા.