gajeravidyabhavanguj
26th January (Republic day)

તા. 26/01/2023 ને ગુરુવારનાં રોજ શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરિટેબલ સંચાલિત ગજેરા વિદ્યાભવન સવારે 9:૦૦ કલાકે મુખ્ય મહેમાનોને વરદહસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત, દેશના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ કરાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશભક્તિ ગીત, નાટકો વગેરે રજુ કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના કોન્ફરન્સ હોલમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગજેરા ટ્રસ્ટ સાથે જોડાયેલા જે કર્મચારીઓના આકસ્મિક નિધન થયા હોય તેઓને ટ્રસ્ટ દ્વારા આ દિવસે સહાય પેટે રૂપિયા બે લાખનો ચેક તેમનાં પરિવારને મદદ પેટે આપવમાં આવ્યા હતા. આ વર્ષે આપણે 74 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી,1950 એ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ એક એવો દિવસ છે જે દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ છે. જયારે ભારત સાચા અર્થમાં સ્વતંત્ર બન્યું અને લોકશાહીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતુ.