top of page
  • Writer's picturegajeravidyabhavanguj

વાર્ષિક પરિણામ દિવસ


"પરીક્ષા એટલે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિની યોગ્યતાને ચારેબાજુ થી તપાસી નક્કી કરેલ માપદંડમાં એ છે કે નહિ એ નક્કી કરવું."

શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે, કારણકે માતા-પિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે અને શિક્ષણના કોઈપણ વ્યક્તિગત તબક્કે તેમની સિદ્ધિ કેવી રહે છે. તે અમુક અમુક સમયે જાણવું જરૂરી છે. સમાજને માટે પણ જે જવાબદારીઓ શાળાઓને સોંપવામાં આવી છે તેનું પાલન સંતોષકારક રીતે થાય છે કે નહિ. બાળકોને સાચા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે કે નહિ તે વિશે ખાતરી કરવી જરૂરી છે.

પરીક્ષણ અને મૂલ્યાંકન એ અધ્યન-અધ્યાપનના મહત્વના એકમ છે. ગુણપ્રાપ્તિની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી છે. પરીક્ષાએ જીવનના સાતત્ય માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. કારણકે જીવનની દરેક રાહ ઉપર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે એટલે પરીક્ષા તો એક પ્રકારે તો જીવનની શાશ્વત જરીયાત છે.

પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે ખુબ જ જરૂરી છે અને તેથી જ અમારા બાલભવનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના અંતે બાળકોનું “વાર્ષિક મૂલ્યાંકન” લેવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર કરવા માટે આજરોજ વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા જ વાલીશ્રીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને બાળકોને પ્રાત્સાહિત કર્યા.

317 views0 comments
bottom of page