gajeravidyabhavanguj
મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક

23 એપ્રિલ 1564 વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે.
સમાજમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે, અને વિદ્યા મળે પુસ્તકો દ્વારા. માણસનો સાથ ભલેને એક માંસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુઃખ, તડકો કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.
દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઇ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુઃખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુઃખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે.
પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની લાગણીને સમજી શકીએ છીએ. તેના દ્વારા ભૂતકાળને પણ વાંચી શકીએ, ઈતિહાસ વિશે જાણી શકીએ છીએ. મહાન લેખકોનાં વિચારોથી પણ પરિચિત થઇ શકીએ છીએ. પુસ્તકોનો સંસાર ખુબ જ વિશાળ છે. દુનિયાની નાનામાં નાની બાબત તેની અંદર તેની અંદર તેની અંદર સમાયેલી છે. દુનિયાના સુકા રણવિસ્તારથી લઈને ખળ-ખળ વહેતી નદીઓ સુધી દરેકની વિગત છે જેના દ્વારા તે આપણને દેશ-દુનિયાનો પરિચય કરાવે છે.
ઘરે બેઠા-બેઠા પુસ્તક દ્વારા દુનિયાની કઈ વસ્તુ ક્યાં આવેલી છે? કયું સ્થળ ક્યાં છે? સમાજ વ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી? ક્યા મહાન માણસો કેટલો સંઘર્ષ કરીને આગળ આવ્યાં? કોની જીંદગીમાં શું ચાલી રહ્યું છે? દુનિયાના કયા ખુણામાં શું બન્યું હતું? મહાન સંતોએ શું કહ્યું? તેમના બોધપાઠ દરેકે દરેકે વસ્તુનો સમાવેશ આ પુસ્તકોએ પોતાની અંદર કરી લીધો છે. એક મનુષ્ય મિત્ર કરતાં તો પુસ્તકો કદાચ કોઈને વધારે દિલાસો આપી શકે છે. એક દોસ્ત તરીકે તે વધું સારી જાણકારી આપી શકે છે.
જીવનના દરેક ખૂણેથી જોઈએ તો દુનિયામાં મિનિટે મિનિટે બદલાવ થઇ રહ્યો છે. દરેક વસ્તુ બદલાઈ રહી છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે, માણસો પણ બદલાઈ જાય છે અને ઘણી વખતે તો મિત્રો પણ બદલાઈ જાય છે. પરંતુ પુસ્તક મિત્ર તો પહેલાં જેવાં હતાં તેવાં ને તેવા મરણાંત સુધી સાથે રહે છે અને દેશ દુનિયાનું જ્ઞાન આપણને આપે છે. તોમિત્રો આજના દિવસે આ પુસ્તક મિત્રો પણ ભૂલાય નહી.