top of page
  • Writer's picturegajeravidyabhavanguj

‘પ્રકૃતિનું સંરક્ષણ કરીએ, વિશ્વનું રક્ષણ કરીએ’


જીવ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ જીવનના દરેક તબક્કે પોતાના નિભાવ માટે અને એશો-આરામ માટે કોઈને કોઈ રીતે પ્રકૃતિના તત્વો નો ઉપયોગ કર્યો છે. ધીરે-ધીરે માનવીએ પ્રકૃતિના તત્વોનો એટલો ઉપયોગ કર્યો છે કે આજનો માનવી ઝાડ પાનના જંગલોમાંથી સીધો સિમેન્ટ ક્રોક્રેટના જંગલોમાં આવીને ફસાઈ ગયો છે.

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી જ થયું છે આપણે સૌ પર્યાવરણના જ એક ભાગ છે તેથી પર્યાવરણ છે તો આપણે છે એવું કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. કારણકે મનુષ્ય જન્મે ત્યારથી જ પર્યાવરણ સાથે તેનો સીધો નાતો રહેલો છે મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વનો બનેલો છે આજનો મનુષ્ય પર્યાવરણથી વિમુક્ત થઈને અનેક રોગોનો ભોગ બની ગયો છે આથી જ કહી શકાય કે "પર્યાવરણ છે તો જીવન છે"

વૃક્ષો આપણને પ્રાણ વાયુ આપે છે ફળ-ફૂલ અને વિવિધ ઔષધીઓ આપે છે પરંતુ આજે આપણે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના મોહમાં પ્રકૃતિના મહત્વના તત્વ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલું જણાય છે. લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેકે છે તેનું પરિણામ એ આવે છે કે આ કચરો જમીનમાં દટાઈ જાય છે અને તેથી જમીન વૃદ્ધ બની ગઈ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

પ્રાણીઓ પણ પર્યાવરણનો જ એક ભાગ છે. જંગલોની ઘટતી સંખ્યા અને પ્રદુષણને કારણે આજે અનેક પ્રાણીઓની જાતિ લુપ્ત થવાના આરે છે. આજે આપણી જળ, જમીન અને પેટ્રોલિયમ પદાર્થો, ઉર્જા, ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે પ્રમાણમાં કરતા થયા છે તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોળવાઈ છે.

નદી, સમુદ્ર, ઝરણા અને તળાવ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન માનવ સંસ્કૃતિનો વિકાસ નદીઓ અને જળાશયોને લઈને જ થયો છે પાણી વિના જીવન શક્ય જ નથી. માનવીની સ્વાર્થ વૃત્તિને કારણે આજે અનેક દેશો જળ સંકટ નો ભોગ બન્યા છે.

સમગ્ર સૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું મહત્વ છે તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ અને આપણે કુદરતી નિયમોને આધીન રહીએ તો જ પર્યાવરણમાં સમતુલા જળવાઈ રહે.

આમ, આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે અને આથી જ માનવી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાય તે માટે દર વર્ષે ૨૮ જુલાઈ ને "વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

બાળકો અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં એસેમ્બલી દ્વારા વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ પર્યાવરણની જાળવણી અને ઉપયોગીતા વિશે સમજ આપી ત્યારબાદ બાળકોએ એક પાત્રીય અભિનય દ્વારા પર્યાવરણની સુરક્ષા વિશે ખૂબ જ સુંદર સંદેશ આપ્યો હતો.


164 views0 comments
bottom of page