gajeravidyabhavanguj
ગમ્મત સાથે જ્ઞાન

ગત તારીખના રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, કતારગામ, સુરત ખાતે કાઉન્સેલર શ્રી કરણ તમ્હાને ધ્વારા ધોરણ- ૮ થી ૧૨ ના શિક્ષકોને બાળકોને હાસ્ય સાથે કઈ રીતે પોતાના વિષયમાં સાંકળવા તેમજ શિક્ષક પણ દરેક વિષયને હળવાશથી કઈ રીતે ભણાવી શકે તે વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ વર્ગખંડનાં સમસ્યાત્મક પ્રશ્નોનું નિવારણ પણ પ્રશ્નોત્તરી ધ્વારા કર્યું હતું. ‘હાસ્ય એ જ જીવન છે.’ સુત્રને ચરિતાર્થ કરવા માટે શિક્ષણમાં સ્થાન આવી વિદ્યાર્થીઓને અપરિચીત બાબતને સરળતાથી હાસ્ય વડે સમજાવી શકાય છે, તે બાબતે આજનો સેમીનાર લેવામાં આવેલ હતો.