top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઉત્સવ તીન રંગો કા- પ્રજાસત્તાક દિવસ


“મુજ કો મેરા દેશ પસંદ હૈ, ઉસ કા હર સંદેશ પસંદ હૈ,

ઉસકી હર એક બાત નિરાલી, ઉસકી હર સોગાંત નિરાલી,

કિતની ભાષા કિતને લોગ, હર એક કી નઈ હૈ સોચ,

મેરા દેશ હૈ બડા મહાન, યે હૈ એક ગુણો કી ખાન”

પોતાની દિવ્ય શક્તિઓથી સમગ્ર વિશ્વમાં ઉજાગર થનારી માં ભારતીના ચરણોમાં કોટી-કોટી વંદન કરવાનો સોનેરી દિવસ એટલે ૨૬મી જાન્યુઆરી.

ભારત એક સાંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોક તંત્રાત્મક ગણરાજ્ય છે.

આપણો ભારત દેશ ધર્મ નિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. આપણા દેશમાં સંચાલન, દિર્શાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે.

દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ, બંધારણ સભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના દિવસે પસાર થયું હતું અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે કાયદાકીય રીતે અમલમાં મુકવામાં આવ્યું હતું. ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી એ ભારતમાં બધાને સમાન અધિકાર અને હક મળે તે માટે ભારતના બંધારણની રચના કરી ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે.

“ભિન્ન ભાષા છે, ધર્મને જાત, પ્રાંત, વેશ અને પરિવેશ,

પણ આપણા સહુનું ગૌરવ એક, આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો શ્રેષ્ઠ”

આપણા સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે. જેને બંધારણીય માન્યતા હોવાથી તે સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે.

આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ દરેકને સમાન તક મળે દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિનું શોષણ થતું હોય તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે.

“ચલો ફિર સે આજ વો નજારા યાદ કર લે,

શહીદો કે દિલ મેં થી વો જ્વાલા યાદ કર લે,

જીસ મે બહકર આઝાદી પહુંચી થી કિનારે પે,

દેશભક્તો કે ખુન કી વો ધરા યાદ કર લે..”

જે શહીદોના પ્રતાપે આ દેશ આઝાદ થયો તેમના બલિદાન અને ભારતની આ ગૌરવ ગાથા થી બાળક પરિચિત થાય એ હેતુથી આજરોજ અમારા બાલભવનમાં ૨૬મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકોને કેપ, બેચ અને બનાવતા ક્રાફ્ટ એકટીવીટી દ્વારા શીખવવામાં આવ્યું હતું. બાળકોએ ભારતના ગૌરવપૂર્ણ વારસાથી પરિચિત થાય એ માટે જુ.કેજી. અને સિ.કેજી. ના બાળકો માટે ‘રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઘણાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ભારતીય બંધારણની સમજ બાળકોએ નાટ્યકૃતિ દ્વારા આપી તેમજ દેશ ભક્તિ ગીત પર ખુબ જ સુંદર ડાન્સ કર્યો હતો.

અમારા નાના-નાના બાળકોને દેશ પ્રત્યેની લાગણી અને દેશભક્તિના નારાઓથી ગજેરા ફાર્મ દેશભક્તિના રંગે રંગાય ગયું હતું.

“ઉત્સવ તીન રંગો કા આજ સજા હૈ,

આજ ઉન સભી કો નમન કરના હૈ,

જિસ ને ઈસ ભારત દેશ કો બનાયા હૈ”



270 views0 comments
bottom of page